રાજકોટ
News of Wednesday, 29th June 2022

વોર્ડ નં. ૯માં મનપાના પ્‍લોટમાંથી અસ્‍થાયી દબાણ હટાવાયું

રાજકોટઃ મહાનગરપાલિકાના વિસ્‍તાર વોર્ડ નં-૦૯ કૈલાસ પાર્ક શેરી નં-૦૪ માં અજાણ્‍યા આસામી દ્વારા મનપાના પ્‍લોટમાં ઘોડાઓ બાંધી દબાણ કરેલ હોવા અંગેની સ્‍થાનિક લતાવાસીઓ દ્વારા ફરીયાદ અન્‍વયે નાયબ મ્‍યુનિ. કમિશનર એ.આર. સિંહના માર્ગદર્શન હેઠળ જ્‍ગ્‍યા રોકાણ (દબાણ હટાવ) શાખા, ટી.પી. શાખા, S.W.M. શાખા અને  એ.એન.સી.ડી શાખા સાથે રહીને પ્‍લોટની અંદર બાંધેલ ઘોડાને એ.એન.સી.ડી. શાખા દ્વારા જ્‍પ્ત કરવામાં આવેલ છે. પ્‍લોટની અંદરનું તમામ અસ્‍થાયી દબાણ દૂર કરવામાં આવેલ છે.

(3:33 pm IST)