શ્રીનાથજી સોસાયટીમાં રહેતારાજૂભાઇ અમરેલીયા લાપતા
ઘરેથી પોતાની એમ્બ્યુલન્સ વાન લઇને નીકળ્યા'તાઃ ડાબા હાથમાં ચીત્રો ત્રોફાવેલ
રાજકોટ તા. ર૯ :.. મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતો યુવાન એમ્બ્યુલન્સ વાનલઇને નિકળ્યા બાદ પરત ન આવતા માલવીયાનગર પોલીસમાં જાણ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧૩ માં રહેતા રાજૂભાઇ જયંતીભાઇ અમરેલીયા (ઉ.વ.૪૦) પરમ દિવસે પોતાની એમ્બ્યુલન્સ વાન લઇને ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા હેડ કો. ડી. જે. જાડેજાએ તપાસ હાથ ધરી છે. રાજૂભાઇએ આછા વાદળી મરૂનકલરનું ચોકડી વાળો શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે. તેના ડાબા હાથના ખભાથી કલાઇ સુધી છંદણાથી છંદણાથી ચિત્રો ત્રોફાવેલ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો માલવીયાનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧ ર૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.