રાજકોટ
News of Thursday, 29th July 2021

ભીલવાસમાં એસટીના નિવૃત કર્મચારી વિજયભાઇનું બેભાન હાલતમાં મોત

ગોંડલ રોડ ચોકડીએ સિકયુરીટી ગાર્ડ નિતીનભાઇનું બીઆરટીએસ બસ સ્ટોપ પાસે બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૨૯: ભીલવાસ-૪માં રહેતાં એસટીના નિવૃત કર્મચારી વિજયભાઇ વેલજીભાઇ વાગડીયા (ઉ.વ.૬૯) સાંજે ઘરે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર વિજયભાઇ એસટીમાં હેડ મિકેનીક હતાં. હાલ નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

બીજા બનાવમાં ગોંડલ રોડ ચોકડી પાસેના બીઆરટીએસ બસ સ્ટેશનના પોઇન્ટ પર સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં પુનિતનગર-૧ના નિતીનભાઇ હરિલાલ ઠક્કર (ઉ.વ.૫૮) બસ સ્ટોપે હતાં ત્યારે અચાનક ચક્કર આવતાં પડી જતાં બેભાન થઇ ગયા હતાં. તેમને તાકીદે સુપરવાઇઝરે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(1:09 pm IST)