રાજકોટ
News of Saturday, 29th August 2020

માંડવિયાને મળતા કથીરિયાઃ ખાતર બાબતે ચર્ચા

રાજકોટઃ ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા સમગ્ર દેશમાં દેશીકુળના ગૌસંવર્ધન, ગૌસંરક્ષણ અને ગૌ આધારીત અર્થ વ્યવસ્થાના વિકાસ માટે પ્રવાસ કરી રહ્યા છે. દિલ્હી ખાતે ભારત સરકારના શીપીંગ, કેમીકલ, ફર્ટીલાઇઝર વિભાગના મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથે મુલાકાત કરી હતી. બાયો ફર્ટીલાઇઝર્સ, બાયો પેસ્ટીસાઇઝને સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી સબસીડી, પ્રોત્સાહન આપવામાં આવે અને તે થકી ખેડૂતોની આવક બમણી કરવાના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાર્થક કરવામાં મદદરૂપ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. માંડવીયાએ રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતીઓ અંગે પ્રસન્નતા વ્યકત કરી ડો. કથીરીયાને શુભકામના પાઠવી હતી.

(2:30 pm IST)