રાજકોટ
News of Saturday, 29th August 2020

ગૌશાળા-પાંજરાપોળના પ્રશ્ને પાટીલને રજુઆત

તાજેતરમાં રાજકોટ સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સમક્ષ પાંજરાપોળ અને ગૌશાળાઓના પ્રશ્નો અંગે એનીમલ વેલ્ફેર બોર્ડના સભ્યો દ્વારા રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. આ સમયે મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભા ઠકકર, ગૌરાંગ રમેશભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઇ પટેલ વગેરે સાથે જોડાયા હતા.

(2:32 pm IST)