સોમવારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન અને રૂડાનાં રૂ.1047 કરોડનાં વિવિધ પ્રોજેકટો વિજયભાઈ રૂપાણી પ્રજાને કરશે અર્પણ
મ.ન.પા-રૂડાનાં 5254 ફલોટનું લોકાર્પણ અને ડ્રો તથા 5890 આવાસો માટે ખાતમુહુર્ત સહીતનાં વિકાસ કામોને મુખ્યમંત્રી વિડયો કોનફરન્સથી લીલી ઝંડી આપશે.
રાજકોટ: મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૩૧ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ.૧૦૪૭.૬૧ કરોડ ખર્ચના જુદા જુદા પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-આવાસ ડ્રો યોજાશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ, એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે સવારે ૧૦:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તા.૩૧ને સોમવારના વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ.૧૦૪૮.૬૭ કરોડ ખર્ચના જુદા જુદા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-આવાસ ડ્રો યોજાશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર તેમજ કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળા બોર્ડના સભ્યશ્રીઓ, વિગેરે ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીશ્રી હસ્તક ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવાનાં થતા પ્રોજેક્ટસ તથા "ઇ-આવાસ ડ્રો"ની વિગત