રાજકોટ
News of Saturday, 29th August 2020

રાજકોટ કલેક્ટર ઓફિસમાં કોરોનાનો ભરડો : 3 નાયબ મામલતદારને વળગ્યો કોરોના

મહેકમ શાખાના ગૌરાંગ ઓઝા, બિનખેતી શાખાનાં જે એન.સોલંકી અને જનરલ શાખાનાં પીએમ આચાર્ય આવ્યા કોરોના ની ચપેટમાં

રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, રાજકોટની કલેક્ટર ઓફિસ કોરોનાની ઝપેટમાં આવી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટ કલેકટર ઓફિસના ત્રણ નાયબ મામલતદારને કોરોના પોઝિટિવ આવતા ખડભડાચ મચી ગયો છે.

એક સાથે મહેકમ શાખાના ગૌરાંગ ઓઝા, બિનખેતી શાખાનાં જે એન.સોલંકી અને જનરલ શાખાનાં પીએમ આચાર્ય કોરોના ની ચપેટમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ રજીસ્ટ્રી શાખાનાં એક નાયબ મામલતદારનેકોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોનાએ રાજકોટ કલેક્ટર ઓફિસમાં ફફડાટ મચાવી દીધો છે.

 

(9:35 pm IST)