શહેરમાં અંદાજે ર૦ હજાર ભૂતિયા નળ જોડાણોને કાયદેસરતા માટે કાર્યવાહી
'નલ-સે-જલ' યોજનાં હેઠળ તુરંત કામગીરી કરવા આદેશ
રાજકોટ તા. ર૯: શહેરમાં ભૂતિયા નળ જોડાણોને કાયદેસર કરવા માટેની યોજનાનો ત્વરીત અમલ કરાવવા સરકારે આદેશ કર્યાનું જાણવા મળ્યું છે.
આ અંગે સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ રાજય સરકારની ''નલ-સે-જલ'' યોજનાં હેઠળ રાજકોટમાં અંદાજે ર૦ હજાર જેટલા ભૂતિયા નળ જોડાણોને નિયત ચાર્જ લઇને કાયદેસર કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરાવવો. સરકારે મ્યુ. કોર્પોરેશનને આદેશ આપ્યો છે.
નોંધનિય છે કે તાજેતરમાં જ સ્ટેન્ડીંગ કમીટીએ આ યોજનાને સૈધ્ધાંતિક મંજુરી આપી દેવાઇ હતી.
સુત્રોનાં જણાવ્યા મુજબ ભૂતિયા નળ જોડાણને કાયદેસર કરાવવા માટે એક મહિનામાંજ કામગીરી શરૂ કરી દેવાશે મ્યુ. કોર્પોરેશનની ટીમ ભૂતિયા નળ શોધીને અરજદારોને ફોર્મ ભરાવી સ્થળ ઉપર જ નિયત ચાર્જ લઇ નળને કાયદેસર કરી આપશે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.