રાજકોટ
News of Wednesday, 29th September 2021

શ્રી જય અંબે ગરૂડ ગરબી મંડળ

શહેરના દાયકા જુની પ્રાચીન ગરબીમાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રી જય અંબે ગરૂડ ગરબી મંડળ દ્વારા રામનાથપરા ગરૂડ ગરબી ચોક ખાતે આસો નવરાત્રીનું ખૂબ શ્રધ્ધા ભકિતથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગરબી મંડળની ૩૮ બાળાઓ મશાલ રાસ, ત્રિશુલ રાસ, રાંદલ માતાજીનો રાસ, મહિસાસૂર રાસ, સાથિયા રાસ સહિતના પ્રાચીન રાસની તાલીમ અશોકભાઇ ઢોલી, ભનાભાઇ, પ્રફુલભાઇ જોશી, રતાભાઇ ગમારા સહિતના માર્ગદર્શન તળે તાલીમ લઇ રહી છે. નવરાત્રી દરમિયાન ગરૂડનું ખૂબ આકર્ષણ હોય છે. નવરાત્રી પર્વમાં ગરબી ઘુમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા ગોવિંદભાઇ ગમારા, જયેશભાઇ સરૈયા, હિતેષભાઇ રાઘવાણી, અજયભાઇ ભટ્ટી, સંદિપભાઇ ડોડીયા, કલ્પેશભાઇ ગમારા, વિનુભાઇ જાદવ, કરણભાઇ ગમારા, હિતેષભાઇ પુનવાણી, વિકીભાઇ સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્વીર : અશોક બગથરીયા) 

(3:14 pm IST)