News of Thursday, 29th September 2022
શહીદ ટાઉનશીપમાં નવદુર્ગા ગરબીની જમાવટ
રાજકોટઃ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કુવાડવા રોડ પાસે ડી માર્ટ પાછળ, મામા સાહેબ રોડ પર આવેલ શહીદ ઉધમસિંઘ ટાઉનશીપમાં નવરાત્રી નિમિતે પ્રાચીન ગરબીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રોજ ૪૪ બાળાઓ માતાજીના ગુણગાન સાથે રાસ રમી રહી છે. આયોજનને સફળ બનાવવા માલતીબેન ચૌહાણ, જલારામભાઇ, સંજયભાઇ ઝાલા, નિલેષભાઇ ગોસ્વામી, વસીમભાઇ કુરેશી, બાદશાહભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:29 pm IST)