રાજકોટ
News of Thursday, 29th September 2022

સામાકાંઠે સુખસાગર સોસાયટીમાં તોડી પાડેલ ધાર્મીક બાંધકામ ફરી કરી આપવા રજૂઆત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૪માં આવેલ સુખસાગર વિસ્‍તારમાં બે દિવસ પહેલા મનપા તંત્રના પ્‍લોટમાં આવેલ ધાર્મિક બાંધકામના વધારાના ભાગને દુર કરવામાં આવ્‍યુ હતુ. આ બાંધકામ ફરી કરી આપવા આજે આ વિસ્‍તારનાં વાલ્‍મીકી સમાજ દ્વારા મેયર, મ્‍યુનિ.કમિશ્નર, સ્‍ટે.ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મનપા તંત્ર વાહકોએ યોગ્‍ય કરવા ખાત્રી આપી હતી.

(4:41 pm IST)