રાજકોટ
News of Friday, 30th April 2021

હેડકોન્સ. રણવીરસિંહ જાડેજાનું કોરોનાથી અવસાનઃ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ આપી શોક સલામી

શહેર પોલીસ હેડકવાર્ટરના હેડકોન્સ. રણવીરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૫૫)નું કોરોના સંક્રમણથી અવસાન થતાં આ કોરોના વોરીયર્સને હેડકવાર્ટર ખાતે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બારીયા, પીઆઇ કોટડીયા અને કર્મચારીઓએ બે મિનીટ મોૈન પાળી ફુલહારથી શોકાંજલી આપી હતી.

(4:04 pm IST)