રિક્ષામાં બેઠા બેઠા પડી ગયેલા આકાશદિપના નરસીભાઇનું મોત
બેભાન હાલતમાં બજરંગ સોસાયટીના જનકબેન અને ંઘંટેશ્વરના નસીબનું મોત
રાજકોટ તા. ૩૦: દોઢસો ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક આકાશદિપ-૩માં રહેતાં નરસીભાઇ ચનાભાઇ સોરાણી (ઉ.વ.૬૬) ગત ૧૭મીએ પીડીએમ ફાટક નજીક પોતાની રિક્ષા ઉભી રાખીને તેમાં બેઠા હતાં ત્યારે એકાએક ચક્કર આવતાં રિક્ષા અંદર પડી જતાં બેભાન હાલતમાં સિવિલમાં, બાદમાં અમદાવાદ, ત્યાંથી ફરી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અબે પુત્રી છે.
અન્ય બનાદમાં કાંગસીયાળી રોડ પર બજરંગ સોસાયટી-૧માં રહેતાં જનકબેન શૈલેષભાઇ દેવમુરારી (ઉ.વ.૩૪)ને શ્વાસની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ શૈલષભાઇ ભજનીક છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
ત્રીજા બનાવમાં ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતો નસીબ સેલવાનભાઇ ચોૈહાણ (ઉ.૩૫) ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતું દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.