વોર્ડ નં. ૪ માં કોંગ્રેસનું જન જાગરણ-સભ્ય નોંધણી અભિયાન : જબ્બર પ્રતિસાદ
રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૨૭ રોજ સામા કાંઠે વોર્ડ નં.૪ માં જન જાગરણ અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા પગપાળા લોકસંપર્ક કરી પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારો અને કોરોના કાળમાં સરકારની નિષ્ફળ કામગીરી અંગે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. દરેક વર્ગના લોકોનું કોંગ્રેસ પક્ષના જન જાગરણ અને સભ્ય નોંધણી અભિયાનને સમર્થન મળ્યું હતું. જન જાગરણ અને સભ્ય નોંધણી અભિયાન માં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, જસવંતસિંહ ભટ્ટી, પ્રભારી ભરતભાઈ મકવાણા, સહપ્રભારી ઠાકરસીભાઈ ગજેરા, વોર્ડ પ્રમુખ અલ્પેશભાઈ ટોપિયા, આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, રામભાઈ જીલરીયા, હાર્દિકભાઈ પરમાર, જયદીપભાઈ બોરીચા, પૂર્વ પ્રમુખ કલ્પેશભાઈ પીપળીયા, પરસોતમભાઈ લીંબાસીયા, અરવિંદભાઈ મકવાણા, ભાવેશભાઈ લીંબાસીયા, નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ માંડલિયા, ભરતભાઈ પરમાર, હસુભાઈ ગૌસ્વામી, અર્જુનભાઈ બોરીચા, હર્ષ પટેલ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા ની યાદી માં જણાવાયું છે.