રાજકોટ
News of Tuesday, 30th November 2021

છ મુદ્દે હોસ્પિટલમાં તપાસ કરાવોઃ પોલીસ કમિશનરને આવેદન પાઠવાયું

રાજકોટઃ સગાર ખટાણાનું મસાના ઓપરેશન બાદ મોત નિપજ્યાના બનાવમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાયું છે. કોઝ ઓફ ડેથ પેન્ડીંગ રાખી વિસેરા લેવામાં આવ્યા છે. દરમિયાન મૃતક સાગર ખટાણાના પરિવારજનોએ પોલીસ કમિશનરને આવેદન પાઠવી શાંતિ હોસ્પિટલમાં બનેલા આ બનાવ અંતર્ગત છ મુદ્દે તપાસ કરવા માંગણી કરી છે. હોસ્પિટલમાં ઓપરેશન દરમ્યિાન સવારે ૮ થી ૧૨ વચ્ચેના સીસીટીવી ફૂટેજ મેળવવા, સારવાર દરમિયાનની ટીમ અને એનેસ્થેસિયા આપનારની વિગત મેળવવી, સારવાર વખતની આરિજીનલ ફાઇલ કબ્જે કરવી, છેલ્લા પાંચ વર્ષમાં આવા અપમૃત્યુ થયા હોય તો તેની વિગત મેળવવી અને છેલ્લા આઠ માસમાં આવા પાંચ ષ્બનાવ બન્યાનું સામે આવ્યું છે તો તેની પણ વિગતો મેળવી કાર્યવાહી કરવી. તેમ રજૂઆતમાં જણાવાયું છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:46 pm IST)