રાજકોટ
News of Tuesday, 30th November 2021

નાના મવા રોડ આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારનું બેભાન થયા બાદ મોત

પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા આક્રંદ

રાજકોટ તા. ૩૦ : નાનામવા મેઇન રોડ પર આવેલા આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર બેભાન થયા બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ નાનામવા મેઇન રોડ અંબિકા ટાઉનશીપ આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા રૂપેશભાઇ ચમનભાઇ સેરઠીયા (ઉ.વ.૪૫) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક રૂપેશભાઇ શાપર વેરાવળમાં કારખાનુ ધરાવતા હતા. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હરદેવસિંહ રાઠોડ તથા રાઇટર નિલેશભાઇ ચૌહાણે કાર્યવાહી કરી હતી. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(2:47 pm IST)