વોર્ડ નં. ૬ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુકત વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનું સન્માન કરાયું
રાજકોટ : શહેર વોર્ડ નં.૬ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં નવનિયુકત નિમણુક પામેલ વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ રામજીમંદિર – ગઢિયાનગર ખાતે કોવીડ પ્રોટોકોલ મુજબ યોજવામાં આવેલ હતો તેમજ આ તકે વોર્ડ નં.૬ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોરધનભાઈ મોરવાડિયા અને તેમની દીકરી અનિતાબેન મોરવાડિયાનું કોરોનામાં દુખદ અવસાન થતા કોંગ્રેસ પરિવારમાં શોકની લાગણી. અને પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ અર્પે તે માટે મૌન રાખી શ્રદ્ઘાંજલિ આપવામાં આવેલ હતી. આ તકે ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ વ્યાસ, ઠાકરશીભાઈ ગજેરા, જયશ્રીબેન સોજીત્રા, દક્ષાબેન ભેંસાણીયા, રેખાબેન ગજેરા, કિરણબેન સોનારા, રતનબેન મોરવાડિયા, જેન્તીભાઈ સોરાણી, રમેશભાઈ સોજીત્રા, ભુપતભાઈ જેસાણી, રાજુભાઈ કિયાડા, કનુભાઈ જાટીયા, વનરાજભાઈ સોનારા, શૈલેશભાઈ સીતાપરા, કાળું મહારાજ, બાબુભાઈ મારૃં, ગોવાભાઈ માલધારી, અરુણભાઈ કાપડિયા, ગોપાલભાઈ મોરવાડિયા, પરેશભાઈ સોજીત્રા, જેન્તીભાઈ દેગામાં, ધીરૂભાઈ મકવાણા, સહિતના કોંગ્રેસપક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.