શહેર ભાજપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત
રાજકોટઃ અહીંના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વરધામના શ્રી ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના દિવ્ય દરબાર યોજાઇ રહયો છે ત્યારે શહેરના કિસાનપરા ચોક ખાતે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ બાગેશ્વર ધામના શ્રી ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીના દિવ્ય દરબાર અંતર્ગત નિકળનાર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ તકે સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો.પ્રદીપ ડવ, પુર્વ પ્રમુખ નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, વિવિધ મોરચાના પ્રમુખ–મહામંત્રીઓ, સેલના સંયોજકો સહિતના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી