રાજકોટ
News of Saturday, 31st July 2021

જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનરપદે મિલન કોઠારીની વરણી

રાજકોટ તા. ૩૧ : નાનપણથી રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા મિલન કોઠારીની રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિ કસેલના કન્વીનર તરીકે નિમણુંક થતા ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

તેઓ મધુરમ કલબના પ્રમુખ તરીકે તેમજ જૈન વિઝનના સંયોજક તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. ગણેશ મહોત્સવ, જન્માષ્ટમી જેવા ઉત્સવોમાં સક્રીય ભાગ લઇ રહ્યા છે. તેમની આ નિમણુંકને પ્રદેશ સાંસ્કૃતિક સંયોજક બિહારી હેમુભાઇ ગઢવી, પૂર્વ કન્વીનર યોગેશભાઇ ગઢવી, જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનીષભાઇ ચાંગેલા, મનસુખભાઇ રામાણી, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા ઉત્સવ ગ્રુપના દિનેશભાઇ વિરાણી, જાણીતા આહીર ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ હેરભા, જે.એમ.જે. ગ્રુપના ક્ષત્રિય આગેવાન મયુરસિંહ જાડેજા, જૈન સમાજના અગ્રણી ચંન્દ્રકાન્તભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, જીતુભાઇ ચા વાળા, પ્રવિણભાઇ કોઠારી, અમિનેષભાઇ રૂપાણી, ડો. મેહુલભાઇ રૂપાણી, કૌશિકભાઇ વિરાણી, જૈન વિઝનવાળા ભરત દોશી, ધીરેનભાઇ ભરવાડા, જય ખારા, ગીરીશ મહેતા, સુનિલ કોઠારી, અજીત જૈન, કેતન દોશી, વિપુલ મહેતા, જતીન સંઘાણી, હિતેશ મણીયાર, રાજીવ ઘેલાણી, નીતીન મહેતા, જૈન વિઝન મહિલા વીંગના દામિનીબેન કામદાર, અમિષાબેન દેસાઇ, સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાળા, મીડિયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળ વગેરેએ આકારી શુભેચ્છા પાઠવી છે.

(3:27 pm IST)