બેડી રપ વારીયા કવાટરમાં પુત્રના વિયોગમાં માતા લીલાબેન ચૌહાણે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
રાજકોટ તા. ૩૧: બેડી ચોકડી પાસે રપ વારીયા કવાર્ટરમાં રહેતી મહિલાએ પુત્રના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ બેડી ચોકડી પાસે રપ વારીયા કવાર્ટરમાં રહેતા લીલાબેન ડોલાભાઇ ચૌહાણ (ઉ.વ. ૩પ) એ ગઇકાલે પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો પરિવારજનો જોઇ જતા તાકીદે જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી મયુરભાઇ ચૌહાણે તપાસ કરતા તેનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વી. કે. સોલંકી તથા રાઇટર કિશનભાઇએ તપાસ આદરી હતી મૃતક લીલાબેનને સંતાનમાં એક પુત્ર છે મોટો પુત્ર કડીયા કામ કરે છે નાનો પુત્ર એક વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હોઇ, તેના વિયોગમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.