રાજકોટ
News of Monday, 31st August 2020

ગીત ગુર્જરી સોસાયટીમાં બીમારીથી કંટાળી વૃધ્ધનો ફીનાઇલ પી આપઘાત

રાજકોટ,તા. ૩૧: રામેશ્વર ચોક ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી ફીનાઇલ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા હસમુખભાઇ અમૃત લાલભાઇ શાહ (ઉવ.૭૯) પોતાના ઘરે બાથરૂમમાં બે ભાન હાલતમાં પડેલ હોય, પરિવારજનોએ તેને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. ઘેલુભાઇ તથા રાઇટર મહેશભાઇ કછોટે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક હસમુખભાઇએ બીમારીથી કંટાળી ફીનાઇલ પી આપઘાત કર્યો હોવાનું ખુલ્યુ હતું. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:42 pm IST)