Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સાળંગપુર તથા વિવિધ મંદિરો દ્વારા શ્રીરામમંદિર માટે ૧ કરોડનું દાન અર્પણ

 વાંકાનેરઃ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે શનિવારે રાત્રે ધર્મ સભામાં સંતો પધાર્યા હતા. શ્રી સ્‍વામીનારાયણ મંદિર, વડતાલ સંસ્‍થા તેમજ ગઢપુર, જૂનાગઢ મંદિર તેમજ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના સંયુકતમાં અયોધ્‍યામાં બનતુ નવનિર્મત શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યમાં એક કરોડના દાનની નિધિ અર્પણ કરવામાં આવી હતી. સંતો, મહંતોની પાવન ઉપસ્‍થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર -અહેવાલ : હિતેશ રાચ્‍છ -વાંકાનેર)

(10:55 am IST)