Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગર વ્હોરા સમાજની ઇમારત એકસો વર્ષ પુરા કરશે

 જસદણ : જામનગરની દાઉદી વ્હોરા સમાજની વધુ એક બીજી ઇમારત મદરેસા તાહેરીયા આગામી વિકમાં એકસો વર્ષ પુર્ણ કરશે. ઘરેણા સમાન સૈફી ટાવરએ બે વર્ષ પહેલા એક સદી પુર્ણ કરી હતી ત્યારે મદરેસા તાહેરીયાની ઇમારત એક સાદી પુર્ણ કરશે. હાલમાં આ ઇમારતમાં હજારો બાળકો શિક્ષણ લઇ રહ્યા છે. ઇમારત તે સમયના દાઉદી વ્હોરા સમાજના એકાવનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો.સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબ (રી.અ) હસ્તે ખુલી મુકવામાં આવેલ હતી. લાખો વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસેલ આ ઇમારતને સો વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે જામનગર દાઉદી વ્હોરા સમાજમાં ખુશાલી છવાઇ છે.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:18 am IST)