Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરેન્દ્રનગર વોર્ડનં.૮માં કોંગ્રેસનો જનસંપર્ક

 મોરબી :  સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની નગરપાલિકા બને તે હેતુથી હાલમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા અને કાર્યકરો દ્વારા વિવિધ શહેરી વિસ્તારોમાં જન સંપર્ક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ૮ નંબરના વોર્ડમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને લોકો વચ્ચે ગયા હતા. ટાવર વિસ્તારમાં આવેલ ઘાંચીવાડ ના જમાતખાના માં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની સમસ્યા પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા સાંભળવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક વર્ષોથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આવો ડે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી રહ્યો છે અને છેલ્લા દ્યણા સમયથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નગરપાલિકામાં કોંગ્રેસની આખી પેનલ આ વોર્ડમાંથી ચૂંટણી રહી છે. ત્યારે જનસંપર્ક કાર્યક્રમમાં પીરે તરીકત હાજી યુસુફ મીયા બાપુ શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા ધ્રુવરાજસિંહ મનસુખભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.લીકેજ પાઇપલાઇનની તસ્વીર.

(11:22 am IST)