Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જેતપુરનાં ચાંપરાજપુર રોડ ઉપર રેલ્‍વે પોલીસ દ્વારા વાહનચાલકોને કરાતી હેરાનગતી દૂર કરાઇ

ભાજપ નેતા વિજય વાળાએ પુછપરછ કરતા પોલીસને પરસેવો વળી ગયો

રાજકોટ,તા. ૧: ભાજપના જાગૃત નેતા વિજયભાઇ વાળાએ લોકોને પોલીસના ખોટા ત્રાસ થી મુક્‍ત કરાવ્‍યા હતા.

રેલ્‍વે પોલીસના ખિસ્‍સા ખાલી થઈ ગયા હોવાથી જુનાગઢ રેલવે પોલીસ સિટીમા આવીને રોડ ઉપર ઉઘરાણી કરી રહી હતી. જેને સબક શીખવાડયો હતો.

જેતપુર પાસે આવેલ ચાંપરાજપુર રોડ  રેલવે પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન ગતિ કરતા હોય એવી ત્‍યાંના રહેવાસી ઓ દ્વારા ત્‍યાંના બીજેપી નેતા વિજય વાળાને જાણ કરાય હતી જાણ કર્તાની સાથે જ તેવો ત્‍યાં ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને ત્‍યાં પહોંચતાની સાથે જ રેલવે પોલીસને પરસેવો વળી ગયો હતો.

વિજયભાઈ વાળા દ્વારા પોલીસને પુછપરછ કર્તાની સાથે જ રેલવે પોલીસને કાયદાનું ભાન થયું હતું અને ગેંગે ફેફે થવા લાગી હતી ત્‍યારબાદ વિજયભાઈ વાળા દ્વારા રેલવે પોલીસના કર્મેચારીઓને કાયદાનું ભાન કરાવાયું હતું. અવારનવાર લોકો પાસેથી ખોટા પૈસાની ઉઘરાણી કરતી રેલવે પોલીસની શાન ઠેકાણે આવી હતી અને રેલવે પોલીસ ત્‍યાંથી રવાના થઈ હતી અને લોકોને ખોટી હેરાન ગતિથી મુક્‍તિ મળી હતી.

(1:42 pm IST)