Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ટંકારાના મોટા ખીજડીયા ગામે કુવામા ડુબી જવાથી શ્રમિકનું મોત

- સમગ્ર મામલે ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીઃ ટંકારાના મોટા ખીજડીયા ગામે કુવામા ડુબી જવાથી શ્રમિકનું મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ અલીરાજપુરનો રહેવાસી અને હાલ ટંકારાના મોટા ખીજડીયા ગામે હરજીવનભાઇ કરમશીભાઇ બરાસરાની વાડીમાં રહેતા ૨૮ વર્ષીય શ્રમિક પ્રવીણભાઇ કલસીંગભાઇ અજનારનું તારીખ ૩૦ અગમ્ય કારણોસર કુવામા પાણીમા ડુબી જવાથી મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ ટંકારા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:19 pm IST)