Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

માણાવદર ઉમીયા મંડળ દ્વારા ધારાસભ્‍ય અરવિંદભાઇ લાડાણીનું સન્‍માન

માણાવદર : ઉમીયા મહિલા મંડળ દ્વારા ધારાસભ્‍ય અરવિંદભાઇ લાડાણીનું સન્‍માન કરાયું હતું. તેઓ ચૂંટાયા પછી  સમાજને સાથે રાખી એક પછી એક પ્રશ્‍નો સાંભળી લોકો વચ્‍ચે જઇ સીધા જ સંવાદ કરી ઉકેલ લાવવા પ્રયત્‍નો કરી રહ્યાં છે. આ પ્રસંગે ધારાસભ્‍યએ વર્તમાન સમયમાં પ્રત્‍યેક શહેની દશા અવદશા થઇ રહી છે. શહેરમાં પ્રજાના પ્રશ્‍નો અણ ઉકેલ છે ત્‍યારે પ્રશ્‍નો હલ કરવા ખાત્રી આપી કહ્યું કે પદ, હોદ્દો કે અધિકાર કોઇનો કાયમ નથી રહેતા માટે પ્રજા વચ્‍ચે જઇ જે કાંઇ તક મળી છે તેનો ઉપયોગ લોક ઉપયોગ માટે કરી શકીએ તો જ લોકો યાદ કરે અને મત આપે બાકી લોકોના પ્રશ્‍નો ન સાંભળીએ તો શું કામ ના ? માટે પ્રયત્‍નો કરતા રહીશુાંે લોકો વચ્‍ચે જ રહેવા માંગીએ છીએ. ઉમીયા મહિલા મંડળ દ્વારા શહેરમાં સામાજીક કાર્યમાં પૂરજોશમાં કરી રહ્યા છે. હર તેહવારમાં સસ્‍તા દરે ફરીસાણ, આરોગ્‍ય કેમ્‍પો, રોજગાર લક્ષી કાર્યો, નવરાત્રી મહોત્‍સવ કરી લોક ચાહના મેળવી છે.

(12:04 pm IST)