Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વાંકાનેરમાં વર્ષો જુના સત્‍સ્‍યનારાયણ મંદિરનો શુક્રવારે ૮૭મો પાટોત્‍સવ

 (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧: શહેરના મીલપ્‍લોટ અમરા૫ર ખાતે આવેલ વર્ષો પુરાણુ રાજાસાહી વખતમાં જેની સ્‍થાપના થયેલ તે ભગવાન સત્‍યનારાયણ મંદિરનો ૮૭ મો પાટોત્‍સવ મહાસુદ -૧૩ ને શુકવાર તા. ૩ ના રોજ ધામધુમથી ઉજવાશે.

તેના ભાગરૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેમાં મંદિર સુશોભન સહીતની અલગ- અલગ કામગીરી સોપવામાં આવી છે. આ પાટોત્‍સવ પ્રસંગે સવારે ૮ થી ૧ર વિષ્‍ણુયાગ થશે.

જેના મુખ્‍ય યજમાન પદે સ્‍વ. મોતીબેન મોહનલાલ સૉલંકી પરિવાર બિરાજમાન રહેશે. ત્‍યારબાદ ૨:૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ થશે. જેથી ભાવિક ભકતજનોને લાભ લેવા પુજારી ત્રંબક્‍લાલ મળત્તલાલ નિમાવતે આમંત્રણ આપતા યાદીમાં જણાવ્‍યું છે.

(10:49 am IST)