Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અજમેર ઉર્ષમાંથી આવતી વખતે ર અકસ્‍માતમાં અમરેલીના ર યુવકોના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧ : અજમેર ઉર્સ શરીફમાંથી પરત આવતા રાજસ્‍થાન સરહદમાં જુદા જુદા બે અકસ્‍માતોમાં અમરેલીના બે યુવાનોના મોત નિપજતા અમરેલી શહેરમાં અરેરાટી મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહીતી અનુસાર અમરેલીમાં ચાંદની ચોકમાં રહેતા અને સ્‍ક્રેપના વ્‍યવસાય સાથે સંકળાયેલા અલ્‍તાફભાઇ ઉર્ફે અલ્લુભાઇ બાબુભાઇ નગરીયા તેમજ જાવીદ કરીમભાઇ ચૌહાણ અને સરફરાઝ કાળુભાઇ બિલખીયા અને અન્‍ય બે યુવાનો અજમેર છઠ્ઠી શરીફના ઉર્સમાં એકસયુવી કાર લઇને ગયા હતા. છઠ્ઠી શરીફ ઉર્ષ મનાવી રવિવારના બપોરના આ યુવાનો પરત અમરેલી આવવા નિકળેલ હતા ત્‍યારે રાજસ્‍થાનના પાલી જીલ્લાના સૌજત નજીક નાગાબેરી સરહદ વિસ્‍તારમાં સાંજના પહોંચતા સામેથી અન્‍ય એક વેન કાર આવી રહી હતી. બંને કાર સામસામે અથડાતા એકસયુવી કારમાં બેસેલ અલ્‍તાફભાઇ ઉર્ફે અલ્લુભાઇ બાબુભાઇ નગરીયા અકસ્‍માતમાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. જયારે જાવીદ કરીમભાઇ ચૌહાણને ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. જયારે જાવીદ કરીમભાઇ ચૌહાણને ગંભીર ઇજા થયેલ હતી. જયારે સરફરાઝ તેમજ મોહસીન અને અલ્‍હાજ નામના યુવાનોને સામાન્‍ય ઇજા થઇ હતી. જાવીદને ગંભીર ઇજા હોવાથી રાજસ્‍થાનના પાલીના બાંગડ હોસ્‍પીટલમાં પ્રાથમીક સારવાર અપાઇ હતી. બાદમાં તમામને ગુજરાત ખાતે લાવી જાવીદને ગાંધીનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. તેમજ સરફરાઝ તેમજ મોહસીન અને અલ્‍હાજને અમરેલી લવાયા હતા. બીજા અકસ્‍માતમાં અમરેલીથી કાર લઇને અજમેર ઉર્ષમાં ગયેલ યુવાનોની કાર પરત અમરેલી નિકળેલ ત્‍યારે આબુ રોડ ઉપર શનીવારે વહેલી સવારે અકસ્‍માત થતા અમરેલીના શકીલ સલીમભાઇ મકવાણાનું મોત થયું હતું.

 મારામારી

જાફરાબાદ તાલુકાના રોહીશા ગામે જુના મનદુઃખના કારણે બે જુથ વચ્‍ચે કોદાળી, ત્રિશુલ, લાકડી અને છુટા પથ્‍થર વડે મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્‍યો હતો. જાફરાબાદ તાલુકાના રોહીશા ગામે ડાયાભાઇ ટપુભાઇ મકવાણા (ઉ.વ.૬૦)ની વાડી પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાઇ ઝપાઝપી કરી ધીરૂ બાબુભાઇ ગઢીયા, ભાયા જીણાભાઇ ગઢીયા, બાબુ ઝીણાભાઇ ગઢીયા, બચીબેન બાબુભાઇ ગઢીયા, રત્‍નાબેન બાબુભાઇ ગઢીયાએ ડાયાભાઇને કોદાળી મારી રમેશભાઇને ત્રિશુલ વડે માર મારી જયંતીભાઇને હાથે ઇજા કરી વરજાંગભાઇને પથ્‍થર વડે માર મારી ધમકી આપ્‍યાની જાફરાબાદ મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે બાબુભાઇ જીણાભાઇ ગઢીયા ઉ.વ.૫૫નસ ભત્રીજી રત્‍નાબેનને લાકડી વડે રમેશ ડાયાભાઇ, જયંતી ડાયાભાઇએ માર મારી ડાયા ટપુભાઇ મકવાણાએ બાબુભાઇને માથામાં કોદાળી મારી બચુબેનને હાથે ઇજા કરી વરજાંગ ટપુભાઇ મકવાણાએ લાકડી વડે માર મારી ધમકી આપ્‍યાની જાફરાબાદ મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આપઘાત

જાળીયાની હીરલબેન કિશોરભાઇ મકવાણા ઉ.વ.ર૪ની સગાઇ બે દિવસ પહેલા કરેલ જે તેમને પસંદ ન હોય જેથી પોતાની મેળે પોતાની ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા કિશોરભાઇ મકવાણાએ અમરેલી રૂરલ પોલીસમાં જાહેર કરેલ છે.

(2:06 pm IST)