Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ધોરાજી માનવ સેવા મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, ડો.જયેશ વેસેટીયનનું ચક્ષુદાન કામગીરી માટે સન્‍માન

ધોરાજી તા. ૧ : ધોરાજી ખાતે જીલ્લા કક્ષાનો ધ્‍વંજવંદન સમારોહ સરકાર દ્વારા યોજાયો હતો જેમાં ગુજરાત રાજયના વિધાન સભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા ધોરાજી ખાતે જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ જેવી કે મેડીકલ કેમ્‍પ બીનવારસદાર મૃતદેહના અંતીમ સંસ્‍કાર રાષ્‍ટ્રીય આફત સમયે સેવાઓ તેમજ થોડા ટુક સમયમાં ધોરાજી અને આજુ બાજુના વિસ્‍તારોમાં ચક્ષુદાન, દેહદાન, સ્‍કીન, ડોનેસન, ઓરગેનડોનલેસન વગેરે કામગીરી ચલાવી રહેલ છે અને ટુંકા સમયમાં ધોરજી માનવ સેવા યુવક મંત્રીના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી અને સરકારી હોસ્‍પીટલના અધીકારી ડો. જયેશ વેસેટીયન દ્વારા ૧૦૬ ચક્ષુદાન જે સમગ્ર ગુજરાતમાં તાલુકા લેવલે વધુ છે અને ચક્ષુદાનમાં બેસ્‍ટ કામગીરી કરવા રાજય સરકાર દ્વારા ર૬મી જાન્‍યુઆરી નિમિતે કલેકટર એસપી. ડીડીઓ ટીડીઓ અને અધીકારીઓ તેમજ સમગ્ર જીલ્લાના અધીકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા ભોલાભાઇ સોંકી અને ડો. જયેશ વેસેટીયનું બહુમાન કરાયું છે. અને કામગીરીને બીરદાવી હતી.

(1:06 pm IST)