Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વેરાવળ નગર ઉપપ્રમુખના રહેણાંક વિસ્‍તારમાં ભારે ગંદકીઃ વેપારીઓ, મહીલાઓ દ્વારા આવેદન અપાયું

વેરાવળ, તા.૧: નગરપાલિકાના વોર્ડ નં.૧૦માં ઉપપ્રમુખનું રહેણાંક આવેલ છે તે વિસ્‍તારમાં સફાઈ થતી ન હોય ગટરો સાફ થતી ન હોય જેથી ગંદા પાણી રોડ ઉપર આવે છે જેથી વેપારીઓ, રહેવાસીઓને નિકળવું મુશ્‍કેલ થઈ પડે છે આવેદનપત્ર આપી તાત્‍કાલીક કામગીરી કરવા માંગ કરાઈ છે.વેરાવળ વોર્ડ નં.૧૦માં આવેલ તપેશ્‍વર મંદિર રોડ ઉપર અનેક દુકાનો, મકાનો તેમજ મુખ્‍ય મંદિરો આવેલા છે ત્‍યાંથી દરરોજ હજારો શહેરીજનો પસાર થાય છે આ વિસ્‍તારમાં નગરપાલિકાના ઉપપ્રમુખનું રહેણાંક વિસ્‍તાર છે ત્‍યાં ચારેય બાજુ ગંદકી થયેલ છે ખુલ્લી ગટરોમાં સાફ સફાઈ થતી નથી જેથી ગટરોનું ગંદાતુ પાણી બહાર નિકળે છે જેથી ન છુટકે આવા ગંધાતા પાણીમાંથી પગપાળા જવું પડે છે આ વિસ્‍તારમાં સાફ સફાઈ માટે ૮૦ થી વધુ અરજીઓ કરવામાં આવેલ છે તેમજ રૂબરૂ પણ રજુઆતો કરાયેલ છે વેપારીઓ મહીલાઓએ આવેદન પત્ર આપી તાત્‍કાલીક કાર્યવાહી કરવાની માંગ કરી છે

(1:35 pm IST)