Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

આમ આદમી પાર્ટીમાં મોટા ફેરફાર ; મોરબી-માળીયા અને ટંકારા-પડધરીના પ્રમુખની જવાબદારી સોંપાઈ

મોરબી માળીયા વિધાનસભાના પ્રમુખ તરીકે પંકજ રાણસરિયા અને ટંકારા પડધરી વિધાનસભાના પ્રમુખ તરીકે સંજય ભટાસણાની નિમણુક

મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ AAP દ્વારા સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિધાનસભા પ્રમુખોની નિમણુક કરવામાં આવી હતી. જેમાં મોરબી માળીયા વિધાનસભાના પ્રમુખ તરીકે પંકજ રાણસરિયા અને ટંકારા પડધરી વિધાનસભાના પ્રમુખ તરીકે સંજય ભટાસણાની નિમણુક કરવામાં આવી છે.

નોંધનીય છે કે આપ દ્વારા મોરબી બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવાર પંકજ રાણસરિયા ગત પેટા ચૂંટણીમાં લાઈક લાઇટમાં આવ્યા હતાં. તેઓ એ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પંકજ રાણસરિયા એક નવ યુવાન નેતા તરીકે ઓળખાય છે. અને પાટીદાર સમાજમાંથી આવે છે. 2022ની ચૂંટણીમાં તેમણે મોરબી બેઠક પર તેમની ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત સંજય ભટાસણાની વાત કરીએ તો 2022ની ચૂંટણીમાં ટંકારા વિધાનસભા બેઠક પર સંજય ભટાસણાએ ઉમેદવારી નોંધાવી હતી.
હાલ બન્ને કાર્યક્ષમ નેતાઓની પક્ષ દ્વારા પ્રમુખ પદે નિમણૂંક થતા મોરબીના  અધિકારીઓ તથા પદાધિકારીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે

(9:36 pm IST)