Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પોરબંદરની ત્રણ બોટ સાથે ૧૮ માછીમારોનું પાક દ્વારા અપહરણ

અમદાવાદ,તા. ૧:  પાક મરીન સિકયુરીટી દ્વારા વારંવાર ભારતીય જળસીમા નજીકથી ગુજરાતની ફિશિંગ બોટોના અપહરણ કરવાની ઘટનાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. વધુ એક વખત ભારતીય જળસીમા નજીકથી ત્રણ બોટ સાથે ૧૮ માછીમારોના અપહરણ થયા છે.ભારતીય જળસીમા નજીક સૌરાષ્ટ્રની કેટલીક ફિશિંગ બોટો ગ્રુપમાં ફિશિંગ કરી રહી હતી ત્યારે એકાએક પાક મરીન સિકયુરીટીની શીપ ત્યાં ઘસી આવી હતી અને બંદૂકના નાળચે ત્રણ બોટ અને તેમાં રહેલા ૧૮ જેટલા ખલાસીઓના અપહરણ કરી કરાચી તરફ લઇ જવાયા છે.

અપહરણમાં બે પોરબંદરની ફિશિંગ બોટ અને એક વેરાવળની ફિશિંગ બોટ હોવાનું જાણવા મળે છે. અપહરણ કરાયેલી બોટ કે ખલાસીઓના નામ હજુ સુધી જાણી શકાયા નથી.

(10:37 am IST)