Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સોમનાથમાં કોરોનાકાળમાં જાનની પરવા કર્યા વગર યુવાનોએ તાવગ્રસ્ત બાપુને ઝોળો કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૧ : સોમનાથના કુંભારવાડામાં આવેલ પંચનાથ મંદિર ગૌશાળાના ગોપાલદાસ બાપુ (ઉવ.૭૫)ની તબીયત અચાનક લથડી, તાવ જેવુ પણ જણાયું તાબડતોબ ૧૦૮ને જાણ કરાઇ અને મારૂતી સાયરને તે શેરી સાંકડી હોવાથી સોમનાથ મંદિર પાસે ઉભી રહી અને પગે ચાલીને બાપુના મંદિર સુધી પહોંચી પરંતુ બાપુ શરીર વજન અને કોરોના સંભવીતા હોય તેને એમ્બ્યુલન્સ સુધી ઓળી-ઝોળી એટલે કે ઝોળામાં નાખી લઇ જવા પડે તેમ હતા. ૧૦૮ના બે માણસો તો હતા જ પરંતુ આવા ઝોળો લઇ જવા વધુ ત્રણ માણસોની સામો છેડો પકડવા અને વચ્ચેથી શરીર ન ઢસડાય તે માટે હાથ દેવા માણસોની જરૂર પડી તે સમયે દૂર -દૂરથી લોકો આ ઘટના જોઇ રહ્યા હતા પણ આ કામમાં પડવાથી પોતાને કોરોના લાગી જાય તે 'જાન.. હૈ.. તો.. જહાન.. હૈ' સુત્રનું પોતાને અનુકુળ અર્થઘટન કરી કોઇ મદદ કરવા તૈયાર નોતુ ઉલટાનું સેંકડોના ટોળા જે દૂર હતા તે પણ વીખાઇ જવા માંડ્યા.

આ પ્રસંગે વેણેશ્વર ગૌશાળાના સેવાભાવી સંદીપ જેઠવા હાજર હતા તેમણે ઉપાડવા માટેની કીટ અને તે વિભાગના માણસોને મોકલવા ઠેર-ઠેર ફર્યા પરંતુ કયાંયથી આ કામ રૂબરૂ આવવા મદદ જ ન મળી જ્યારે બીજી બાજુ બાપુનું ઓકિસજન ૪૫ ટકા હતું અને વધુ વિલંબ પોસાય તેમ ન હતો. આજુબાજુની શેરીઓના નાકેથી લોકો દૂર -દૂરથી જોઇ લાઇવ પોઝીશન વાફેક રહેતા હતા પણ મદદ માટે તો નહીં જ આખરે ૧૦૭ના બે કર્મચારીઓ ગૌશાળા સેવકો -મિત્રો સંદીપ જેઠવા, હાર્દિક જેઠવા વિશાલ ટાંકએ બધાયે લુગડાના જાડા ઓછાડમાં ઝોળામાં બાપુને સુવડાવી સોમનાથ મંદિર પાસે ઉભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા અને પસાર થયેલો આ આખોય રસ્તો કે જે રસ્તામાં આ ઘટના જોવા માણસો હતા શેરી રસ્તામાંથી બાપુ ઝોળો પસાર થતા મોટા ભાગના ઘરના દરવાજા-બારી બારણા બંધ કરી પોતાની ઉંચી અગાશીઓમાંથી સ્વ સાવચેતી સાથે આ દ્રશ્ય જોયું.

હોસ્પિટલમાં તા. ૨૨ એપ્રિલથી બે દિવસ સારવારમાં રહ્યા અને સંદીપભાઇ જણાવ્યા મુજબ અંદરથી અમને કહેવાયુ તબીયત સારી છે અને પછી એમ પણ કહેવાયુ કે બાપુનુ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

આ ગોપાલદાસ બાપુ કુટુંબ -કબીલા વગર માત્ર એકલા જ રહેતા હતા જેની ડેડ બોડીને કોરોના પ્રોટોકલ પેક કરી શબ વાહીનીથી સોમનાથ સ્મશાન ગૃહે પહોંચાડાઇ જ્યાં વેવોશ્વર ગૌશાળાના સેવકો સંદીપ જેઠવા, ઢગી દોેડેા, સંજય ચાવડા અને ઘનશ્યામ લોહાણાએ તેઓના સ્વજન બની હિન્દુ સંસ્કાર મુજબ ફકત ચાર જ જણાએ અગ્નિ સંસ્કાર કર્યો.

આમ કોરોના કાળમાં 'કોઇ કોઇનું નથી...રે....' તેમ કેટલાક લોકો દર્દીઓથી દૂર ભાગે છે પણ આ નવજવાનોએ હિંમતપૂર્વક જે જરૂરી હતુ તેમાં વિલંબ કર્યા વગર જાનની પરવા કર્યા વગર માનવ સેવા બજાવી.

(10:40 am IST)