Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય બફારો યથાવતઃ કાલાવડ પંથકમાં માવઠુ-કરા પડયા

તસ્વીરમાં કાલાવડ પંથકમાં વરસેલી વરસાદ-કરા નજરે પડે છે. (તસ્વીર : હર્ષલ ખંધેડીયા-નવાગામ)

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ-બફારો યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે કાલે જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં માવઠુ વરસ્યુ હતું.

આજે સવારથી અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. અને લોકો પરસેવે રેબ જેવા થઇ રહ્યા છે.

નવાગામ

(હર્ષલ ખંઢેડીયા) નવાગામ : કાલાવડના ધુન ધોરાજી, નવાગામ, હકુમતી, સરવાણીયા, ઉમરાળા, જામવાડી, મોટી વાવડી, હરીપર (મેવાસા) સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કરા સાથે કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતાતુર થયો છે.

એક બાજુ કોરોનાનો કહેર બીજી બાજુ કમોસમી વરસાદ વરસી રહયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. આજનું હવામાન ૩૭.પ મહત્તમ ર૬ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:47 pm IST)