Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને સુર્યદેવના વાઘાનો શૃંગાર

વાંકાનેર : શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - સાળંગપુર ધામ ખાતે અષાઢી બીજ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ઍવ કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સુર્યદેવના દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના સિંહાસનને ફુલો વડે શણગાર કરવામાં આવેલ ઍવું સવારે પ.૪પ કલાકે શણગાર આરતી પુજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ પ્રસાદ ધરાવવામાં આવેલ. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે. શુભ રથયાત્રા ‘જય જગન્નાથ’ હજારો ભકતોઍ આ અનેરા દર્શનનો salangpur hanumanji - official યુ ટયુબ ચેનલ દ્વારા અોનલાઇન તથા પ્રત્યક્ષ લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

(12:45 pm IST)