Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભાવનગરની રથયાત્રા ઉપર મેઘરાજાનો જળાભિષેક: જગન્નાથજીની રથયાત્રા દરમિયાન મેઘરાજાની પધરામણી

ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન વરસાદ વચ્ચે પણ લોકોએ ઉત્સાહ પૂર્વક ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા કેટલાય સમયથી ભાવનગરમાં વરસાદી માહોલ છતાં વરસાદ પડતો ન હોવાથી લોકો નિરાશ થયા હતા. પરંતુ આજે ભગવાનની રથયાત્રા દરમિયાન મેઘરાજાએ પણ ભગવાનનો જરાભિષેક કર્યો હોય તેમ દોઢ ઇંચ વરસાદ વરસાવ્યો હતો. ભાવનગરવાસીઓ ચાલુ વરસાદે પલળતા પલળતા પણ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મેઘરાજાની પધરામણી થી ભાવનગરવાસીઓ નો ઉત્સાહ બેવડાયો હતો.

 

(7:53 pm IST)