Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ખંભાળીયા પાલિકાના બગીચામાં વૃક્ષની ડાળીઓ કાપતા ૩૦ પક્ષીઓના મોત

ખંભાળીયા તા. ૧ : પાલિકા દ્વારા તાજેતરમાં બગીચામાં વૃક્ષોની ડાળીઓ કાપવાનું ચાલુ કર્યુ પણ અણધડ તથા માનવતા વિહોણા કર્મચારીઓ દ્વારા જે ડાળીઓ પર પક્ષીઓએ માળો કર્યો હતો.

તેવી ડાળીઓ પર કુહાડા ચલાવતા આ ડાળો પર બેઠેલા પક્ષીઓ તથા તેમના બચ્ચા આશ્રય વગરના થઇ ગયા હતા તથા તે પૈકીના ૩૦ જેટલા પક્ષીઓ બાગમાં ફુવારાની ટાંકીઓ પણ પડતા મૃત્યુ થયા હતાં.

તથા તેમના મૃતદેહોમાંથી ગંદી વાસ સાથે વાતાવરણ ખુબ જ ખરાબ થઇ ગયું હતું અને જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે.

(1:19 pm IST)