Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જુનાગઢ ઇવનગરના બાબુભાઇ મકવાણાનો આર્થિક ભીંસને કારણે એસિડ પી આપઘાત

રાજકોટ તા. ૧: જુનાગઢના ઇવનગરમાં રહેતાં અને પાનનો ગલ્લો ચલાવતાં પટેલ વૃધ્‍ધે આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ઇવનગરમાં રહેતાં બાબુભાઇ મોહનભાઇ મકવાણા (પટેલ) (ઉ.૬૫) નામના વૃધ્‍ધે ગઇકાલે સવારે સાડા નવેક વાગ્‍યે એસિડ પી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર બાબુભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને ગામમાં પાનનો ગલ્લો ચલાવતાં હતાં. આર્થિક ભીંસને કારણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(10:15 am IST)