Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામકંડોરણાનાં બોરીયા ગામે પુષ્‍ટિ સંસ્‍કાર ધામમાં બુધવારે શ્રી યમુના પુલિન મચકીનાં ઝુલાનો અલૌકિક મનોરથ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૧ : બોરીયા ગામે આવેલ શ્રીમદ વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્‍ટિ સંસ્‍કાર ધામમાં તા. ૩/૮/૨૦૨૨ને બુધવારેશ્રી યમુના પુલિત મચકીના ઝુલાનો અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવેલ છે.
આ મનોરથમાં પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રી  હરિરાયજી મહારાજશ્રી તથા પોરબંદરથી યુવા વૈષ્‍ણવાચાર્ય પ.પૂ.પા. ગો.૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી સહ પરિવાર પધારશે. આ પ્રસંગે સવારે ૯ કલાકે શ્રી ગીરીરાજજીની ભાવના, બપોરે ૨ કલાકે યમુનાષ્‍ટકના પાઠ, બપોરે ૩:૩૦ કલાકે આપશ્રીના સામૈયા, સાંજે ૪:૩૦ કલાકે મનોરથ દર્શન, સાંજે ૬:૩૦ કલાકે દાતાશ્રીઓને આશિર્વાદ, સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ તેમજ વચનામૃત અને હાલારી રાસ સહિતના કાર્યક્રમો યોજાશે.
મુખ્‍ય મનોરથી જેતપુર જામકંડોરણાના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા અને પોરબંદરના સાંસદશ્રી રમેશભાઇ ધડુક, તેમજ સહયોગી મનોરથી સાવલીયા-રાજકોટ, વિપુલભાઇ ઠેસીયા રાજકોટ, બિપીનભાઇ હદવાણી રાજકોટ, પ્રફુલભાઇ હદવાણી રાજકોટ હાજરી આપશે. વૈષ્‍ણવોને પધારવા મનોરથ આયોજક સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

 

(10:41 am IST)