Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જશાપરમાં પૂ. ધીર ગુરૂદેવની નિશ્રામાં બાલ સંસ્‍કાર શિબિર

દરરોજ રાત્રે જૈન રામાયણ પ્રવચનધારા

રાજકોટ તા. ૧ : શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરૂદેવ તથા પૂ. ગુણીબાઇ મહાસતીજી ઠાણા-પની નિશ્રામાં ડો. હર્ષદભાઇ અને ચેતનાબેન સંઘવી પ્રેરિત રવિવારીય સંસ્‍કાર શિબિરમાં સમસ્‍ત સમાજના બાલક-બાલિકાઓ મોટી સંખ્‍યામાં ધર્મનો અભ્‍યાસ કરી રહ્યા છે નવકાર મંત્ર, ગુરૂવંદના, ર૪ તીર્થકરના નામ, ભકિતગીતો તેમજ કૃષ્‍ણવંદના વગેરે મુખપાઠ કરી રહ્યા છે.
દરરોજ રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ જૈન રામાયણ પ્રવચનધારામાં ભાવિકો લાભ લઇને ધન્‍યતા અનુભવે છે. સત્‍સંગ મંડળના બહેનોને ઢોલ અને કિરતાર ભુવનભાઇ જે. બખીયા તરફથી અર્પણ કરાયા હતા.
તા. ૯ ને મંગળવારે સવારે ૯-૩૦ થી ૧૦ કલાકે વિક્રમભાઇ દેસાઇની અધ્‍યક્ષતામાં વડીલ વંદના સમારોહમાં રપ૦ જેટલા વડીલો જોડાશે.

 

(12:02 pm IST)