Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સાવરકુંડલામાં મન કી બાત : (દિપક પાંધી) સાવરકુંડલા

 

નરેન્દ્રભાઈ મોદીજી ના  ૅમન કી બાતૅ કાર્યક્રમની સાથે સત્યનારાયણ ભગવાનની કથા તથા સુપોષિત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને કીટ વિતરણ અને ખેડૂતોને સરઘવાના રોપાનું વિતરણ સહિતના કાર્યક્રમનું વોર્ડ નંબર-૪ માં સાંસદ  નારાયણભાઈ કાછડીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશભાઈ પાનસુરીયા, ઉપાધ્યક્ષ  શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ  પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રી  રાજુભાઈ,  વિજયસિંહ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ  જીવનભાઈ વેકરીયા, અમરેલી જિલ્લાનું સૂચિત મોરચાના પ્રમુખ  કેશુભાઈ વાઘેલા, વિસ્તારક  સંજયભાઈ કાટોડીયા,શિક્ષણ સમિતિના ચેરમેન  વિપુલભાઈ દુધાત, માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલાના ચેરમેન  દિપકભાઈ માલાણી, નગરપાલિકા પ્રમુખ પતિ  રાજુભાઈ દોશી, વોર્ડ નંબર ચારના સદસ્ય  હંસાબેન ભુપતભાઈ પાનસુરીયા,  દક્ષાબેન ભાવેશભાઈ કવા સહિત ભારતીય જનતા પાર્ટીના  ધર્મેન્દ્રભાઈ ચૌહાણ રાજુભાઈ પરમાર,  સહિતના વિસ્તારના  કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:54 pm IST)