Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કેશોદની સરકારી હોસ્‍પિટલના ફાર્માસિસ્‍ટ કણસાગરાને નિવૃતી વિદાયમાન

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ ગત તા.૩૧ જુલાઈના  સ્‍વૈચ્‍છિક નિવળત્ત થયેલ સિનિયર ફાર્માસિસ્‍ટ શ્રી દિનેશભાઈ કણસાગરાનો  ફાર્મસી વિભાગ, સરકારી હોસ્‍પિટલ, કેશોદના સહકર્મચારી દ્વારા તેમજ વહીવટી કચેરી દ્વારા તા.૩૦ના રોજ  વિદાય સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ તકે શ્રી કણસાગરાને શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છથી અભિવાદન કરવામાં આવેલ અને ફરજ દરમ્‍યાનની તેમની સેવાઓને બિરદાવી નિવળત જીવન દરમ્‍યાન તંદુરસ્‍ત અને લાંબુ આયુષ્‍ય પ્રાપ્ત થાય તેવી શુભેચ્‍છાઓ પાઠવી  હોસ્‍પિટલના  સ્‍ટાફ દ્વારા તેઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. તેવું ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્‍ટ ફાર્માસિસ્‍ટ, ગુજરાતના ઉપ પ્રમુખ દિપેનભાઈ અટારાએ જણાવેલ છે.

(1:29 pm IST)