Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જૂનાગઢ વરસતા વરસાદ વચ્‍ચે ગિરનાર અંબાજી મંદિરના દર્શને આવતા ભાવિકો

જૂનાગઢ : ગરવા ગિરનાર પર બિરજમાનમાં અંબાજી લોકો માટે અનેરૂ શ્રધ્‍ધાનું કેન્‍દ્ર છે. ભારે પવનને કારણે બે દિવસથી રોપ વે સેવા બંધ છે. ત્‍યારે પગપાળા ગિરનાર અંબાજી માંના દર્શને આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અસંખ્‍ય ભાવિકો વરસતા વરસાદની વચ્‍ચે પ્રકૃતિનો આનંદ માણતા દર્શને આવી રહ્યા હોવાનું મંદિરના મહંત પૂ.તનસુખગીરીબાપુ અને ગણપતગીરીબાપુએ જણાવ્‍યુ હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:55 pm IST)