Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વડીયા બાર એસો.ના નિર્ણયને બાર કાઉ. મેમ્બર સંજય વ્યાસનો ટેકો

રાજકોટ,તા.૧: વડિયા બાર જિલ્લો અમરેલી દ્વારા ત્યાના એક જજની કોર્ટનો બહિષ્કાર કરવાનો જે નિર્ણય કરવામાં આવેલ છે તેને મારો ટેકો જાહેર કરું છું અને જે વકીલને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય તેમ રાજકોટ બાર, ના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસે જણાવ્યુ છે.

આ અગાઉ રાજકોટમાં પણ રાજકોટ બારના અનેક વકીલશ્રીઓની ફરિયાદ હતી જેથી ત્યારે કારોબારીની મિટિંગ બોલાવી તેમની કોર્ટનો બહિષ્કાર કરવાની ફરજ પડેલ અને ના. હાઇ કોર્ટ દ્વારા તેમની બદલી કરવામાં આવેલ હતી. તેમ હાલમાં બાર. કાઉ.માં કો.ઓપ્ટ મેમ્બર  નિમાયેલ સંજયભાઇ વ્યાસે જણાવેલ.

કોઇ કારણોસર તેમનો બહિષ્કાર થાઇ છે તેમ છતાં તેમની ફકત બદલીજ શા માટે થાઇ છે આ અંગે વડીયા બારના વકીલને મારો ટેકો છે તેમ શ્રી સંજય વ્યાસે જણાવ્યુ છે.

(1:33 pm IST)