Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

હિમતનગરના જેતોડમાં પૂ. ઇન્દ્રભારતી બાપુનુ ભવ્યસામૈયું

જુનાગઢઃ હિમતનગરની બાજુમાં આવેલ જેતોડ ગામેમાં દિપુનુ સ્થાન આવેલ છે જયા નુતન મંદિરના નિર્માણ પ્રસંગે ગમન સાંથલ (ભુવાજી) પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું જેમાં જુનાગઢ શ્રી રૃદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચ દશનામજના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ.ઇન્દ્રભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેતા તેઓનુ હાથીની અંબાડી પર બેસાડી પ૦ હજારથી વધુ લોકોએ વાજતે ગાજતે ઘોડાઓ ખેલાવતા ભવ્ય સામૈયુ કરેલ જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(2:19 pm IST)