Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ગોંડલ મહારાજા સાહેબ જયોતિન્દ્રસિંહજી-મહારાણી સાહેબ કુમુદકુમારીજીએ કોરોનાને પછાડયોઃ પેલેસમાં ઉમળકાભેર સ્વાગત

નગરજનો સરકારના દરેક નિયમોનું પાલન કરી જાગૃત બને અને કોરોનાને હરાવેઃ યુવરાજ હિમાંશુસિંહજી

ગોંડલ : ગોંડલના મહારાજા સાહેબ જયોતિન્દ્રસિંહજી અને મહારાણી સાહેબ કુમુદકુમારીજી કોરોનાથી સંક્રમીત થતા તેઓને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. દરમિયાન બન્નેની તબીયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. મહારાજા સાહેબ જયોતિન્દ્રસિંહજી અને મહારાણી સાહેબ કુમુદકુમારીજીનું ગોંડલ પેલેસ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે યુવરાજ હિમાંશુસિંહજીએ તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, રાજવી પરિવારો, રાજકીય-સામાજીક આગેવાનો તથા તમામ શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ જણાવેલ કે મહામારીમાંથી સમગ્ર વિશ્વ જલ્દી બહાર આવે અને નગરજનો સરકારના દરેક નિયમોનું પાલન કરી જાગૃત બની અને કોરોનાને હરાવે તેવી આશા વ્યકત કરી હતી. રાજવી પરિવાર આ મહામારીમાં જયાં પ્રજાજનોને જરૂર પડયે હરહંમેશ સાથે હોવાનું જણાવ્યું હતું.

(11:36 am IST)