Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

લાલપુર પંથકમાં ભૂકંપના આંચકા

જામનગર જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ફરી ગભરાટ ફેલાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧ : જામનગર જીલ્લાની પ્રજામાં વરસાદી માહોલમાં ભૂકંપના ફરી આંચકા આવતા ગભરાટ ફેલાયો છે.

લાલપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાણવા મળ્યા મુજબ ૧ર.૧પ કલાકે ર.ર ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને તે પછી ૧ર.ર૩ કલાકે ૧.૯ ની તીવરતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

આ બંને આંચકાઓનું કેન્દ્ર બિંદુ લાલપુર નજીક નોંધાયું છે.

(11:23 am IST)