Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

શ્રી સોમનાથ મંદિર દર્શનના સમયમાં આજથી ફેરફાર

(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ તા.૧: સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે તા.૧લી સપ્ટેમ્બરથી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે ૭-૩૦ થી ૧૧-૩૦, બપોરે ૧ર-૩૦ થી સાંજે ૬-૩૦ અને ૭-૩૦ થી ૮-૦૦ વાગ્યા સુધીનો રહેશે. તેમજ ટ્રસ્ટના અહલ્યાબાઇ મંદિર, શ્રીરામ મંદિર, ગીતામંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભાલકા મંદિર, ભીડીયા મંદિર તમામનો સમય સવાર મુજબ જ રહેશે. સોમનાથ મંદિરમાં દર્શન માટે ઓનલાઇન અને ઓફલાઇન પાસ સીસ્ટમ ચાલુ છે. ઓનલાઇન દર્શન પાસ માટે ટ્રસ્ટની વેબસાઇટ www.Somnath.org. પરથી દર્શન પાસનું બુકિંગ કરાવી શકાશે. તેમજ ટ્રસ્ટની વેબસાઇટ પરથી પૂજાવિધિ, અતિથિગૃહનું બુકિંગ પણ ઓનલાઇન થઇ શકશે.

(11:29 am IST)