Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પાટણવાવના સમઢીયાળા ગામે પતિના ત્રાસથી નેહલબેને આપઘાત કર્યો'તોઃ ગુન્હો નોંધાયો

પત્રકાર તરીકે ઓળખ આપી રાજેશ ચૌહાણ પત્ની અને તેના પિયરીયાએ ધમકાવતો'તો...

રાજકોટ તા. ૧ :.. પાટણવાવના સમઢીયાળા ગામે પરણિતાને આપઘાત માટે મજબૂર કરનાર પતિ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ પાટણવાવના સમઢીયાળા ગામે રહેતી બે સંતાનોની માતા નેહલબેન રાજેશ ચૌહાણએ ગત તા. ર૮ ના રોજ પોતાના ઘેર કેરોસીન છાંટી કાંડી ચાંપી દેત ગંભીર હાલતમાં પ્રથમ ઉપલેટા બાદ જૂનાગઢ હોસ્પીટલમાં ખસેડાઇ હતી જયાં સારવાર દરમિયાન તેણીનું નીપજયું હતું. આ બનાવ અંગે મૃતક પરણિતાના પિતા શાંતીલાલ કાનાભાઇ પંચોલી રહે. માણાવદર એ તેની પુત્રી નેહલને આપઘાત માટે મજબુર કરનાર પતિ રાજેશ મુળજીભાઇ ચૌહાણ રહે. સમઢીયાળા સામે પાટણવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ પતિ રાજેશ ચૌહાણ પત્રકાર તરીકેની ઓળખ આપી પત્ની નેહુલ અને તેના પીયરીયાને ધમકાવી ત્રાસ આપતો હતો. ગત તા. ર૮નાં રોજ પતિ રાજેશે પત્ની નેહલને ઢીકાપાટુનો માર મારી આપઘાત માટે મજબુર કરી હતી.આ ફરીયાદ અન્વયે પાટણવાવ પોલીસે પતિ રાજેશ ચૌહાણ સામે ગુન્હો દાખલ કરી સંકજામાં લઇ લીધો હતો. કોવીડ ટેસ્ટ બાદ તેની ધરપકડ કરાશે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ રાજેશ પત્રકાર નથી પણ પત્રકારની ઓળખ આપી પત્ની અને તેના પિયરીયાને ધમકાવતો હતો. વધુ તપાસ પાટણવાવના પીએસઆઇ વાય. બી. રાણા ચલાવી રહ્યા છે.

(11:31 am IST)